=યોગ દિવસ માં નગર પાલિકા ના સભ્યો ની સૂચિત ગેરહાજરી=પાલિકા પ્રમુખ ,ચીફ ઓફિસર શહેર ભાજપ પ્રમુખ સહીત ના નાગરીકો જોડાયા
અંકલેશ્વર નગર પાલિકા દ્વારા જવાહરબાગ ખાતે વિશ્વ યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી ,જેમાં પાલિકા ના પ્રમુખ ,ઉપપ્રમુખ ,ચીફ ઓફિસર .કારોબારી અધ્યક્ષ શહેર ભાજપ પ્રમુખ સહીત પાલિકા ના કર્મચારીઓ સહીત શાળા ઓ ના વિદ્યાર્થીઓ અને શહેરીજનો યોગ દિવસ માં જોડાયા હતા ,જો કે આ વિશેષ દિવસ ની ઉજવણી માં નગર પાલિકા ના કેટલાક સભ્યો ની સૂચિત ગેરહાજરી જોવા મળી હતી.
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીની પહેલ કરી હતી. વર્ષ 2014માં સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં પીએમ મોદીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને સંયુક્ત રાષ્ટ્રએ સ્વીકાર્યો હતો અને 21 જૂન 2015ના રોજ વિશ્વભરમાં પ્રથમ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારથી દર વર્ષે 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. યોગ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વમાં પણ ખૂબ જ લોકપ્રિય બન્યો છે.ત્યારે અંકલેશ્વર નગર પાલિકા દ્વારા શહેર ના જવાહર બાગ ખાતે નગર પાલિકા ના પ્રમુખ લલીતાબેન રાજપુરોહિત ,ચીફ ઓફિસર કેશવ કોલડિયા ,કારોબારો અધ્યક્ષ નિલેશ પટેલ શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ ની ઉપસ્થિતિ માં વિશ્વ યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી આ યોગ દિવસ માં પાલિકા ના કર્મચારીઓ ,શહેર ભાજપ ના હોદ્દેદારો ,વિવિધ શાળાઓ ના વિદ્યાર્થીઓ અને શહેરીજનો જોડાયા હતા અને પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી નું સીધું પ્રસારણ નિહાળ્યું હતું ,જો કે આ વિશેષ કાર્યક્રમ માં દેશ ના પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી નું સીધું પ્રસારણ હોવા છતાં નગર પાલિકા ના કેટલાક સભ્યો એ આ યોગ દિવસ ને નજર અંદાજ કરી ગેરહાજર રહેતા અનેક તર્કવિતર્ક સર્જાયા છે.દેશના પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી એ યોગ ને વિશ્વ ફલક ઉપર લોકપ્રિય કર્યો છે.ત્યારે અંકલેશ્વર નગર પાલિકા ના કેટલાક સભ્યો આ યોગ દિવસ ની અનદેખી કરી ગેરહાજર રહ્યા હતા