અંકલેશ્વર ના દઢાલ ગામ પાસે ડ્રિમ સિટીમાં શેરબજારમાં રૂ.5 લાખની ખોટ જતા સીઆરપીએફ ના કોન્સ્ટેબલે 8 વર્ષના બાળકની હત્યા કરી
=પાડોશમાં રહેતા સીઆરપીએફ ના કોન્સ્ટેબલે જ કરી હત્યા.=રૂ.5 લાખની ખંડણી માંગી હત્યા કરી હોવાનો ખુલાસો
=બાળકનો મૃતદેહ લોખંડની પેટીમાંથી મળી આવ્યો=પોલીસે સીઆરપીએફ ના કોન્સ્ટેબલ ની ધરપકડ કરી
અંકલેશ્વર ના દઢાલ ગામ ની ડ્રિમ સીટી માં 8 વર્ષીય બાળક નું છઠ પૂજા ના દિવસે અપહરણ ના બે દિવસ બાદ પાડોશી સીઆરપીએફ ના કોન્સ્ટેબલ ના ઘર માં એક પટારા ની પેટી માં થી મૃત હાલતમાં મળી આવ્યો હતો. શેરબજાર માં થયેલ નુકશાન પૂર કરવા લોન લીધી અને લોન માટે રૂપિયાની જરૂર પડતા પાડોશમાં રહેતા શુભ નું અપહરણ કર્યું હતું. પોતે ભાગી ન જાય તે માટે શુભ ને દોરી અને મોઢા માં ટેપ મારી પેટી માં પુરી દીધો હતો.પોલીસે સીઆરપીએફ ના કોન્સ્ટેબલ ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે
અંકલેશ્વરના દઢાલ ગામ નજીક આવેલ ડ્રિમ સીટી માં લોકો છઠ્ઠા પૂજાની ઉજવણીમાં લિન હતા ત્યારે અચાનક ૮ વર્ષીય શુભ રાજભર નામનો બાળક લાપતા બન્યો હતો.બાળકનો રાત સુધી ક્યાંય પત્તો ન મળતા સ્થાનિકો સાથે રૂરલ પોલીસે પણ શોધખોળ હાથ ધરી હતી જો કે શુભ નો કોઈ પત્તો મળ્યો ન હતો
વહેલી સવારે અચાનક લાપતા બાળકના પિતા ભીસમ રાજભરના મોબાઈલ પર એક વોટ્સએપ મેસેજ આવ્યો હતો જેમાં શુભના અપહરણ અને ૫ લાખની ખંડણી નો ઉલ્લેખ કરાયો હતો.આ સાથે ખંડણીની રકમ ગણતરીના સમયમાં પહોંચતી કરવા ધમકી અપાતા પરિવાર ભયભીત બની ગયો હતો.
પરિવારે મેસેજની જાણ અંકલેશ્વર રૂરલ પોલીસને કરતા ટેક્નિકલ સર્વેલન્સ દ્વારા ટ્રેકિંગ કરવામાં આવતા મેસેજ ભીસમ રાજભરના પાડોશના ઘરમાંથીજ થયો હોવાનું જાણવા મળ્યું હતું. તપાસ દરમિયાન પાડોશમાં સીઆરપીએફ કોન્સ્ટેબલ શૈલેન્દ્ર રાજપૂત રહેતો હોવાનું જાણવા મળ્યું હતું જેનું પરિવાર વતન ગયું હતું જયારે શૈલેન્દ્ર ઘરે એકલો હતો.
પોલીસે દરોડો પાડતા ઘરમાં લોખંડની પેટીમાંથી બાળકની લાશ મળી આવતા પોલીસ ચોકી ઉઠી હતી. પ્રાથમિક પૂછપરછમાં શૈલેન્દ્રએ ઘોંઘાટના કારણે બાળકની હત્યાનું રટણ કર્યું હતું .પોલીસે કડક પૂછપરછ કરતા તેણે શેરબજારમાં લાખોની ખોટ ગઈ હોવાથી રિકવરી માટે અપહરણ કરી ખંડણી માંગી હોવાની કબૂલાત કરતા તેની ધરપકડ કરવામાં આવી હતી.શૈલેન્દ્ર રાજપૂતે બાળકનું અપહરણ કરી હાથ પગ બાંધી મોઢા ઉપર સેલો ટેપ મારી પેટીમાં સંતાડી દીધો હતો જેથી શુભ નું ગૂંગળાઈ જવાથી તેનું મોત નિપજ્યું હોવાનું પ્રાથમિક અનુમાન છે.
શૈલેન્દ્ર રાજપૂત મધ્યપ્રદેશના ગ્વાલીયરમાં સી.આર.પી.એફ.માં ફરજ બજાવે છે અને ત્યાંથી રજા લઇ તે અંકલેશ્વર આવ્યો હતો.પાડોશમાં રહેતા બાળકને જોઈ તેનું અપહરણ કરી શેરબજારમાં ગયેલ ખોટને સરભર કરવા પ્લાન બનાવ્યો હોવાનું બહાર આવ્યું છે. શૈલેન્દ્ર રાજપૂતે બાળકની હત્યા તો કરી નાંખી હતી પરંતુ પોલીસના સતત પહેરાના કારણે તે મૃતદેહનો નિકાલ કરવામાં અસમર્થ રહ્યો હતો આથી પેટીમાં જ મૃતદેહ મૂકી રાખ્યો હોવાની પણ વિગતો બહાર આવી છે. આ ઉપરાંત તેની કરતૂત અંગે કોઈને શંકા ન જાય એ માટે તે પરિવાર સાથે રહી બાળકની શોધખોળ પણ કરતો હતો જો કે આખરે તેનો ભાંડો ફૂટી જતા જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે.