અંકલેશ્વર ના પુનગામ નું દંપતી 1 વર્ષ ના બાળક ને બાબાગાડી માં લઇ ફાગવેલ પદયાત્રા એ નીકળ્યું છે. શનિવાર ના રોજ ફાગવેલ ધામની 200 કિ.મી.ની પદયાત્રા શરૂ કરી ભાથીજી મંદિર ખાતે પહોંચશે. છેલ્લા 4 વર્ષથી ફાગવેલ પદયાત્રા એ નીકળે છે. 6 દિવસમાં 200 કિમી અંતર કાપી ફાગવેલ મુકામે પહોંચશે.
અંકલેશ્વર તાલુકા ના નવા પુનગામમાં રહેતા મહેશભાઈ પટેલ વીર ક્ષત્રિય ભાથીજી મહારાજ માં અખૂટ શ્રદ્ધા ધરાવે છે. તેઓ છેલ્લા 4 વર્ષથી ફાગવેલ સુધી પદયાત્રા કરી દર્શન અર્થે જાય છે .તેઓ પોતાની પત્ની સાવિત્રી પટેલ અને એક વર્ષીય પુત્ર ધ્યાન સાથે ફાગવેલ ખાતે જવા નીકળ્યા હતા.પતિ પત્ની સાથે એક વર્ષીય પુત્ર પણ આ પદયાત્રામાં જોડાયો છે.આ પરિવાર 6 દિવસમાં 200 કિ.મી.જેટલું અંતર પગપાળા કાપી ફાગવેલ પહોંચશે અને ભાથીજી મહારાજના દર્શન કરશે. પરિવાર એક દિવસમાં 30 કી.મી.જેટલું ચાલે છે. તેઓ સાથે એક વર્ષનું બાળક પણ બાબાગાડી સાથે જોડાતા તેની અનન્ય ભક્તિના દર્શન થઈ રહ્યા છે.